10 વર્ષમાં 23,000 ગુજરાતીઓએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા
10 વર્ષમાં 23,000 ગુજરાતીઓએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા
Blog Article
વિદેશી નાગરિકત્વ મળતા 2024માં દર મહિને 15 અમદાવાદીઓએ પોતાના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. રિજલન પાસપોર્ટ ઓફિસ (RPO)ના ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના 23,000 જેટલા લોકોએ પોતાનો ઈન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. દિલ્હી અને પંજાબ બાદ આ ટ્રેન્ડમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. ડેટા પ્રમાણે છેલ્લા એક દાયકામાં દિલ્હીના 60,414 અને પંજાબના 28,117 લોકોએ પોતાનો ઈન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો.
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં 1300થી વધુ અમદાવાદીઓએ તેમનો ઈન્ડિયન પાસપોર્ટ છોડી દીધો છે. આમાંથી 50 ટકાથી વધુ ગુજરાતીઓએ અમેરિકા અને કેનેડાની સિટિઝનશિપ મેળવી છે જ્યારે અન્ય લોકો ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં ગયા છે.
પાસપોર્ટ એક્ટ 1967 પ્રમાણે જે ઈન્ડિયન્સ ફોરેન સિટિઝનશિપ મેળવે છે તેમને પોતાનો ઈન્ડિયન પાસપોર્ટ ઈન્ડિય કોન્સ્યુલેટ અથવા તો પાસપોર્ટ ઓફિસ ખાતે સરેન્ડર કરાવવો ફરજીયાત છે. RPO અમદાવાદ પ્રમાણે જો વિદેશી નાગરિકતા મેળવ્યા બાદ કોઈ ઈન્ડિયન પોતાની ઈન્ડિયન પાસપોર્ટ જમા નથી કરાવતો તે તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, કેમ કે પાસપોર્ટ એક્ટ 1967ની સેક્સન 12A અંતર્ગત વિદેશી નાગરિકતા મેળવ્યા બાદ ઈન્ડિયન પાસપોર્ટ રાખવો તે દંડનીય અપરાધ છે.
Report this page